બ્યુરો ચીફ કેતન ભટ્ટ.
દાહોદ એપીએમસી ખાતે શેઠ શ્રી ગિરધરલાલ મેમોરિયલ હોલમાં વેપારી મિત્રો રક્તદાન કરે તે માટેનું મોટીવેશન કાર્યક્રમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા રાખવામાં આવ્યો હતો શ્રેયસભઇ શેઠ દ્વારા કાર્યક્રમની ભૂમિકા અને આવકાર પ્રવચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સોસાયટીના ખજાનચી શ્રી કમલેશભાઈ લીમ્બાચીયા દ્વારા રક્તદાન કરવાના ફાયદા અંગે મોટીવેશન સ્પીચ આપવામાં આવી સહમંત્રી સાબીરભાઈ શેખ દ્વારા રેડ ક્રોસ ની ચાલતી અન્ય પ્રવૃત્તિ થી માહિતગાર કર્યા હતા રેડ ક્રોસ ચેરમેન શ્રી ગોપાલભાઈ ધાનાકા અને શ્રી ઈકબાલભાઈ ખરોદા વાલા વેપારી મિત્રોને ખુબ મોટી સંખ્યામાં રક્તદાન કરી તેમજ અન્ય મિત્રોને રક્તદાન કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી આ આ પ્રસંગે વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ કારોબારી સભ્ય શ્રી ગટેેશભાઈ ક્ષોત્રિય અમીરભાઈ કાપડિયા સુરેશભાઈ રામચંદાની તેમજ ખૂબ મોટી સંખ્યામાં વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ રક્તદાતા દિવસના ઉપ્લક્ષમાં 14 /6 /2024 ના રોજ ગરબાડા સીએસસી ખાતે 15 /6 /2024 ના રોજ પુંસરી પ્રાથમિક શાળા અને 16 /6 /2024 ના રોજ લીમડી પ્રકૃતિ મિત્ર મંડળ તેમજ સહયોગી સંસ્થા દ્વારા 18/ 6 /2024 ના રોજ એપીએમસી દાહોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

