પ્રાપ્ત માહિતિ પ્રમાણે લોકસભાની ચૂંટણી પહેલા વડોદરાથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, રંજનબેન ભટ્ટને ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે. આ તરફ હવે અંગત કારણો આપી રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં રાજકારણ ગરમાઈ ગયું છે. જ્યારે બીજીબાજુ વડોદરા શહેરના લોકોનો પણ ખુબ જ વિરોધ હતો ત્યારે જોવાનુ એ રહ્યુ કે પાર્ટી કોણે ટિકિટ આપે છે

