પ્રાપ્ત માહિતી પ્રમાણે આજ રોજ દાહોદ જિલ્લાના દેવગઢબારીયા ખાતે શ્રી જયદીપસિંહજી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દેવગઢ બારીયા ખાતે જિલ્લા કક્ષાના 74 માં વન મહોત્સવ ની ઊજવણી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી.

જેમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારી અને નોડલ અધિકારી તરીકે ડૉ.ગંગા શરણ સિંહ (IFS) સંશોધન ગાંધીનગર, નાયબ વન સંરક્ષકશ્રી, સામાજિક વનીકરણ વિભાગ દાહોદ, શ્રી અમિતકુમાર નાયક, મદદનીશ વન સંરક્ષકશ્રી, અભિષેક સામરીયા(IFS), જિલ્લા રમત વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીશ્રી બારીયા, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ અને પંચાયતના સભ્યશ્રીઓ તેમજ જિલ્લાના જુદા જુદા ગામોમાંથી સરપંચશ્રીઓ અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા.

તેમજ વન વિભાગના કર્મચારીઓ હાજર રહી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.. વન મહોત્સવની ઉજવણીમાં મહાનુભાવોના હસ્તે વન વિભાગની જુદી જુદી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા અને મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

તેમજ રમત ગમત સંકુલ ખાતે ૫૦૦ રોપાઓનું વાવેતર અને ૨૫૦૦ જેટલા રોપાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું.

