પંકજ પંડિત
ઝાલોદ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અવાર નવાર નગર માટે જરૂરી લાગતી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ નિભાવતા હોય છે સાથે સાથે ચોમાસાની ઋતુમાં ફ્રી મા છોડનું વિતરણ જરૂરિયાત હોય તેવા લોકોને આપી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં નગરના લોકોને તુલસી ,બીલીપત્ર, મીઠો લીમડો, સેવન, આમળા ,દાડમ, અર્જુન છાલના છોડ નું બી વિના મૂલ્ય આપી રહ્યા છે જેથી સહુ નગરના લોકો વૃક્ષારોપણ નુ મહત્વ સમજે તેમજ પ્રકૃતિ પ્રત્યે પ્રેમભાવ ઉત્પન્ન થાય તથા આવનારી નવી પેઢીને પણ પ્રકૃતિ અને વૃક્ષરોપણનું મહત્વ સમજાય. આવા આદર્શ ભાવ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રખંડના મનિષ પંચાલ, દેવ પીઠાયા, ચિરન ચૌહાણ ,વૃક્ષાંક ચૌહાણ, જીતુ શ્રીમાળી દ્વારા નગરના જારીયાત હોય તેવા લોકોને છોડનું ફ્રી માં વહેંચણી કરી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને નગરના સહુ લોકો આવી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી રહ્યા છે.

