પંકજ પંડિત
તારીખ 06-04-2025 રવિવારના રોજ રામ જન્મોત્સવ આવી રહેલ છે ત્યારે આ ઉત્સવ ઉજવવા સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે. રામ જન્મોત્સવ નિમિતે નગરમાં જે રૂટ પર થી રામયાત્રા પસાર થવાની છે તે તમામ માર્ગો ભગવા ધ્વજ થી લહેરાઈ ગયેલ છે. સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા આખા નગરને ભગવામય કરી દીધેલ છે. નગરપાલિકા અને પોલિસ તંત્ર પણ રામયાત્રા જે રસ્તે થી પસાર થનાર છે તે તમામ રસ્તાઓ બરાબર છે કે નહીં, રામયાત્રા રૂટ પર કોઈ દબાણ નથી તે તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખી કામગીરી કરી રહેલ છે.રામયાત્રા દિવસે સવારે 10 વાગે ગીતા મંદિરખાતે ભજન કીર્તન કરી 12 વાગે રામ જન્મોત્સવ પ્રસંગ ઉજવાશે અને ત્યારબાદ મહાઆરતી થશે. બપોરે ચાર વાગે ડીજે ના તાલે ભક્તિમય વાતાવરણની વચ્ચે ગીતામંદિર થી રામ રથ ની આરતી કરી રથ નગરના ખાંટવાડા , આંબેડકર ચોક ,સ્વર્ણિમ સર્કલ, કોળીવાડા,મીઠાચોક, શાહિદ રાજેશ ચોક , બસ સ્ટેશન મુવાડા રામજી મંદિર થઈ રાજા ઝાલા વસૈયા ચોક થઈ શબરી આશ્રમ ખાતે રામયાત્રા પૂરી થનાર છે. સાંજે 6 વાગ્યા થી રામ જન્મોત્સવ નિમિત્તે શબરી આશ્રમ ખાતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે. આમ હાલ રામયાત્રાને લઈ આખું નગર ભગવામય થઈ ગયેલ છે.

