જુનાગઢ ગીરનારમાંથી અવારનવાર સિંહો ખોરાકની શોધમાં શહેરી વિસ્તારમાં આવી ચડે છે ત્યારે રાત્રે શહેરના મધુરમ વિસ્તારમાં ચાર સાવજોએ આવીને ત્રણ ગાયોનું મરણ કરતાં આજુબાજુ ના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે જુનાગઢ શહેરના મધુરમના ભરચક વિસ્તારમાં સાઈબાબા વાળી ગલીમાં શ્રીનાથજી વિલાના મેદાનમાં રાત્રે બે વાગ્યાના અરસામાં એક સાથે ચાર સાવજો આવી ચડ્યા હતા અને મેદાનમાં સુતેલી ત્રણ ગાયોનું મરણ કરીને સિંહોએ ઢસડી જઈને મીજબાની ઉડાવી હતી. મારણ કરીને સિંહો ફરી જંગલ તરફ જતા રહ્યા હતા જે સ્થળે મારણ કરેલું હતું ત્યાં પથ્થર ઉપર લોહીના નિશાન જોવા મળ્યા હતા. આ સિંહો ધરાનગર થી ગાંધીગ્રામ ગ્રોફેડ થઈને કૃષિ યુનિ. મારફત શહેરમાં આવી ચડ્યા હતા આ અગાઉ ગાંધીગ્રામ પાદરીયા સહિતના વિસ્તારોમાં સિંહોના આટા ફેરા સામાન્ય માનવામાં આવે છે અહીંના એક રહીશે જણાવ્યું કે દીપડાઓ આવે છે પરંતુ ગત રાત્રે સિંહો પહેલી જ વાર અહીં જોવા મળ્યા છે આ અંગે વન વિભાગને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે સિંહોએ મારણ કર્યાની જાણ થયેલ છે અને હાલ સિહોર જંગલ તરફ જતા રહ્યા છે ત્રણ મારણમા એક વાછરડું માલિકીનું હતું જે અંગે ફરિયાદ મળી છે

