Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતો ની ઘટનામાં ચાર ના મોત અનેક લોકો ઘાયલ

 સંકેત પંડ્યા – એડિટર

ભરૂચ જિલ્લામાં તહેવારોની ઉજવણી વચ્ચે માર્ગ અકસ્માતની ગોજારી ઘટનાઓ સામે આવી છે,જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્જાયેલ બે જેટલી અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચાર જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે તો અન્ય ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે,

અકસ્માતની પ્રથમ ઘટના ભરૂચ ના ટંકારીયા ગામ નજીક સર્જાઈ હતી જ્યાં એસ.ટી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનો ના મોત નિપજ્યા હતા,અકસ્માત ની ઘટના બાદ એક સમયે લોકોના ટોળા પર ઘટના સ્થળે ભેગા થયા હતા તેમજ મામલા અંગેની જાણ પાલેજ પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી લાશ નો કબ્જો મેળવી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી,

તો અકસ્માત ની અન્ય એક ઘટના ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાડી રોડ ઉપર બની હતી જ્યાં સ્વામિનારાયણ મંદિર નજીક એક ઇન્ડિગો કાર ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ સાઇડ પર આવેલ વૃક્ષ માં ઘુસી જતા સર્જાયેલ અકસ્માત માં એક મહિલ સહિત બે લોકોના  મોત નીપજ્યું હતું તેમજ અન્ય ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,મામલે નેત્રંગ પોલીસ દ્વારા મૃતક ની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી,

Share

Related posts

ફતેપુરા તાલુકાના સુખસર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર બનાવવામાં આવેલ ખારી નદીના નવીન પુલ ઉપર ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા જાનહાનીનો ભય

gujaratjanekta

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા ઘટક-૨ ના આંગણવાડી કેન્દ્ર ” સાગડાપાડા ૨ ” ખાતે પોષણ માહની ઉજવણી કરાઈ

gujaratjanekta

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ ઝાલોદ નગર ભાજપ પરિવારના લોકો દ્વારા ચંદ્રયાન-3 નું સફળ લેન્ડિંગ થતાં રાષ્ટ્રધ્વજ સાથે આતસબાજી કરી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી બાલ હનુમાનજી મંદિરે નગરના લોકો દ્વારા હનુમાનચાલીશાના પાઠ પણ કરવામાં આવ્યા હતા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ સાથે ભારતે સફળ સિદ્ધિ હાંસલ કરી હતી. સફળ લેન્ડિંગ લાઇવ નિહાળવાનો અનેરો અવસર થકી ઇતિહાસના સાક્ષી સહુ ભારતવાસી બન્યા હતા. જેમ જેમ ચંદ્રયાન-3 ના લેન્ડીંગનો સમય નજીક આવતો હતો તેમ તેમ સમગ્ર ભારતવાસીઓના ધબકારા વધતા જતા હતા. ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગને સમગ્ર ઝાલોદ નગરના લોકોએ પણ લાઇવ નિહાળ્યું હતું. જેવું ચંદ્રયાન-3 લેન્ડ થયું તેમ સહુ નગરના લોકો ટીવીની સામે નાચી ઝૂમી ઉઠયા હતા. આ સફળતા થી દરેક ભારતીયની છાતી ગર્વ થી ફૂલી ગઈ હતી. ચંદ્રયાન-3 ની સફળતા માટે નગરના લોકો દ્વારા બાલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવેલ હતા. ચંદ્રયાન-3 સફળ લેન્ડિંગ થતાંની સાથે ભાજપ પરિવારના સહુ સભ્યોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળતો હતો. ભાજપ પારિવાના સહુ સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લહેરાવી વડબજારમાં ભવ્ય આતસબાજી સાથે ભારતમાતાકી જય સાથે વાતાવરણને ગજવી દીધેલ હતું. ઉપસ્થિત સહુ લોકો દ્વારા આ ભવ્ય સફળતાની ઉજવણી એક બીજાને મીઠાઈ ખવડાવી કરેલ હતી. તેમજ ભાજપ પરિવાર દ્વારા ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને દેશને ગર્વ અપાવવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ખુશી નગરના દરેક સોશિયલ મીડિયાના ગ્રુપમાં ફરતી થઈ ગઈ હતી અને સમગ્ર નગરના લોકો સોશિયલ મીડિયા દ્વારા એક બીજાને તેમજ ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જોવા મળતા હતા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial