સંકેત પંડ્યા – એડિટર
ભાવનગર માં રખડતા ઢોરના કારણે જેસર પંથકમાં એક વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી ભાવનગર જિલ્લામાં ફરી વાર રખડતા પશુઓનો ત્રાસ સામે આવ્યો . જેમાં ભાવનગર જિલ્લાના શાંતિ નગર ગામે રખડતા પશુના આતંક થી વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી . આ વૃદ્ધનું નામ વલ્લભભાઈ ગેંગડીયા નામના હતું . જેમાં આ વૃદ્ધને ઇજા પહોંચતા યુવકે તેના પિતાને ખૂટ્યાએ પસાડી દીધેલા હોવાથી સારવાર માટે મોટા ખુટવડા સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા . જો કે સમગ્ર બાબતે હોસ્પિટલમાં સ્ટાફના અભાવે અને મોટા ખુટવડા સરકારી હોસ્પિટલના ડોક્ટરો હાજર સ્થળ પર હાજર ન હતા . જેથી ઇજાગ્રસ્ત વલ્લભભાઈ નામના વૃદ્ધને મહુવા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . જેમાં મોટા ખુટવડા સરકારી હોસ્પિટલના ડોક્ટરોની ઘોર બેદરકારીના કારણે દર્દી ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા . આમ ગ્રામ્ય વિસ્તારના લોકો હવે તંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે. અને આ બાબતે નક્કર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે .જેમાં મોટા ખુટવડા સરકારી હોસ્પિટલના ડોક્ટરોની ઘોર બેદરકારીના કારણે દર્દી ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા . આમ ગ્રામ્ય વિસ્તારના લોકો હવે તંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે. અને આ બાબતે નક્કર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે . .

