Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

વલસાડના ઉમરસાડી માં 126 મીટર લાંબો પેડેસ્ટલ બ્રિજ બનાવવામાં આવશે .

 સંકેત પંડ્યા – એડિટર
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની જનતા માટે સાબરમતી નદી પર લોકાર્પણ કરાયેલા અટલ બ્રીજની પેર્ટન પર જ ઉમરસાડી દેસાઈવાડ ગામની ખાડી પર રૂપિયા 9.50 કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રિજ ખાડીથી 26 ફૂટ ઊચાઈએ બનશે. જેથી દરિયાની ભરતીના પાણી નડશે નહિ. જેના પર 5.50 મીટર પહોળા અને 126 મીટર લંબાઈનો પેડેસ્ટલ બનશે. ઉમરસાડી ખાતે બીચનો વિકાસ થતા આ ગામ પર્યટન સ્થળ બનશે અને ગામના લોકોને રોજગારી મળશે એમ મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું. પ્રોજેક્ટનું ગામના અગ્રણી ભરતભાઈનું સ્વપ્ન હતું. અને માટે ભરતભાઈ છેલ્લા 4-5 વર્ષથી પ્રયત્ન કરતા હતા. જેના ફોલોઅપમાં ગામના જ અને પારડી તાલુકાના સંગઠન પ્રમુખ મહેશભાઈના કારણે જ ભરતભાઈ આજે સ્વપ્નું સાકાર થઇ રહ્યું છે. એમ મંત્રીએ જણાવી સર્વેને ગામના વિકાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત સદસ્ય દિવ્યાબેન પટેલ, ગામના સંરપંચ રાજુભાઇ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.મંત્રીએ જણાવી સર્વેને ગામના વિકાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત સદસ્ય દિવ્યાબેન પટેલ, ગામના સંરપંચ રાજુભાઇ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
Share

Related posts

ધારાસભ્ય મહેશ ભુરીયાની ઉપસ્થિતિમાં ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

બોરવાણી પીએચસી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા ૧૬૯ દર્દીઓની કરાઇ તપાસ૧૦૦ દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન

gujaratjanekta

જય જોહાર, જય આદિવાસી એક તીર એક કમાન આદિવાસી એક સમાન જેવા નારા થી ઝાલોદ નગર ગુંજી ઉઠયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial