Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

અમદાવાદ : એસ.જી હાઇવે આગામી ત્રણ દિવસ સુધી આંશિક બંધ રહેશે

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતના પાટનગર ખાતે જુદી જુદી જગ્યાએ 36મી રાષ્ટ્રીય રમત રમાઈ રહી છે જેના ભાગરૂપે આજથી ત્રણ દિવસ એટલે કે 9મી તારીખ સુધી ઇન્દ્રોડા સર્કલથી ખોરજ કન્ટેનર સુધી સાઇકલ રેસનું આયોજન કરવામાં આવ્યું છે જેને પગલે આ રોડ આંશિક બંધ કરી દેવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસ સુધી સવારના 5 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ગાંધીનગર સરખેજ જવા તરફનો રોડ બંધ રાખવામાં આવશે.

આ ત્રણ દિવસ દરમિયાન સવારે પાંચ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ચ-0 થી ખારેજ સુધી મેઈન રોડ ઉપરાંત ચ-0, ઇન્દ્રોડા સર્કલથી ઘ-0 સુધીનો સર્વિસ રોડ પણ બંધ રાખવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના એડિશનલ કલેકટરે દ્વારા આ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસ દરમિયાન ઇન્દ્રોડા સર્કલથી શાહપુર સર્કલથી જમણી બાજુ વળી રિલાયન્સ સર્કલ થઇ ખ-0 થી ડાબી બાજુ વળી સર્વિસ રોડ પરથી ઉવારસદ બ્રિજ નીચેથી ડાબી બાજુ વળી બાલાપીર ચોકડીથી સીધા ઝુંડાલ સર્કલથી જમણી બાજુ વળી એસ.પી રિંગ રોડ થઈ વૈષ્વદેવી સર્કલ તરફ રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

Share

Related posts

ફતેપુરામા આધ્યશક્તિ મહિલા મંડળ દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવીમોટી સંખ્યામાં મહિલાઓ એ કાવડ યાત્રામાં ભાગ લઈ આખું વાતાવરણ ભક્તિમય કરી દીધું

gujaratjanekta

ફતેપુરા તાલુકાના મોટીઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એક્સ-રે વાનનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

વી ક્લબ ઓફ વન્ડર વુમન અને સદવિચાર પરિવાર દ્વારા ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial