Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ સાહિત્યકૃતિ માટે ઍવોર્ડ અપાશે – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન, ગોધરા દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી જે તે વિવિધ સાહિત્ય સ્વરૂપોનાં પુસ્તકોમાંથી શ્રેષ્ઠ પુસ્તકોને ઍવૉર્ડ્ઝ આપવાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં 
કુમાર આર્ટસ ફાઉન્ડેશન , અમદાવાદ – વડોદરા અને ગોધરાના ઉપક્રમે વર્ષ 2021 માં પ્રગટ થયેલી શ્રેષ્ઠ સાહિત્યકૃતિ માટેનો એવોર્ડ સમારંભ -2022 કે જેમાં કુલ 12 સાહિત્ય સ્વરૂપો માટેના એવોર્ડ્સ છે . આ સમારંભ ડિસેમ્બર 2022 અથવા january – 2023 માં યોજાશે . અંતિમ તારીખ પછી આવેલી કૃતિઓ કોઈ પણ સંજોગોમાં ધ્યાનમાં લેવાશે જ નહીં. લાઈફ ટાઈમ achievement award મા શ્રી સિતાંશુ યશશ્ચંદ્રને એનાયત કરવાનું નિયત થઈ ચૂક્યું છે.

વિગત કઈ રીતે ભરીને મોકલી આપવી ?

A 4 size ના કાગળમાં પોતાનું નામ , સરનામું , મોબાઈલ નંબર , વ્યવસાયની માહિતી , સાહિત્ય ક્ષેત્રે પ્રદાન , કયા એવોર્ડ માટે કૃતિ મોકલી છે તેનું સ્પષ્ટ નામ અને સાહિત્યપ્રકાર અને આ બાંહેધરી કે આ સાથે હું કુમાર arts foundation ના 2021 ના એવોર્ડ્સ માટે મારી કૃતિની એક નકલ મોકલી રહ્યો / રહી છું . આ સંસ્થા દ્વારા જે નિર્ણય લેવાશે , તે મને કબૂલ મંજૂર રહેશે . સંસ્થાને મોકલેલી કૃતિ કોઈ પણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી તેની મને જાણ કરેલી છે જેમાં મે સ્વેચ્છાએ મારી સંમતિ દર્શાવેલી છે . ” આટલું ટાઈપ કરીને તેની નીચે જમણી તરફ પોતાની સહી કરીને કૃતિની સાથે મોકલવાનું રહેશે. તદનુસાર , ૨૦૨૧ ના વર્ષમાં ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં પ્રગટ થયેલાં શ્રેષ્ઠ પુસ્તકોને નીચે પ્રમાણેના ઍવૉર્ડ આપવામાં આવશેઃ

(1) કવિતા – ડૉ . રણજિત પટેલ ‘ અનામી ’ ઍવૉર્ડ
( ૨ ) ગીત – ગઝલ : ડૉ . ચિનુ મોદી ઍવૉર્ડ
( ૩ ) ટૂંકીવાર્તા :શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ ઍવૉર્ડ
( ૪ ) નવલકથા : ‘ દર્શક ‘ ઍવૉર્ડ
( ૫ ) પ્રવાસ નિબંધ : ડૉ . ભોળાભાઈ પટેલ ઍવૉર્ડ
( ૬ ) આત્મકથા – જીવનચરિત્રઃ શ્રી કિસનસિંહ ચાવડા ઍવૉર્ડ
( ૭ ) નાટક – એકાંકી : શ્રી ચંદ્રવદન ચી . મહેતા ઍવૉર્ડ
( ૮ ) વિવેચન : ડૉ . સુરેશ જોષી ઍવૉર્ડ
( ૯ ) સંશોધન : ડૉ . ભોગીલાલ સાંડેસરા ઍવૉર્ડ
( ૧૦ ) હાસ્ય વ્યંગ : શ્રી બકુલ ત્રિપાઠી ઍવૉર્ડ
( ૧૧ ) બાળસાહિત્ય : શ્રી રમણલાલ નાનાલાલ શાહ ઍવૉર્ડ
( ૧૨ ) લોકસાહિત્ય : શ્રી પુષ્કર ચંદરવાકર ઍવૉર્ડ.
આ માટે લેખકો અને પ્રકાશકોને જે તે સ્વરૂપમાં પ્રકાશિત થયેલા પુસ્તકની ૧ નકલ , જે વિભાગ માટે મોકલ્યું હોય તેના નામ નિર્દેશ સાથે તા . ૧૫-૧૦-૨૦૨૨સુધીમાં કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન , ૧૪ , સમ્રાટનગર , બામરોલી રોડ , ગોધરા ૩૮૯ ૦૦૧. ( જિ . પંચમહાલ ) ના સરનામે મોકલવા વિનંતી મોડી આવેલી કૃતિઓ સ્વીકારવામાં આવશે નહીં . ઍવૉર્ડ્ઝ અંગે નિર્ણાયકોનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે . ઍવૉર્ડમાં શિલ્ડ , ચંદ્રક અને પ્રતીકરૂપ રોકડ પુરસ્કાર સામેલ રહેશે .

Share

Related posts

પંચશીલ હાઇસ્કૂલ લુણાવાડા ખાતે પ્રમાણપત્ર વિતરણ અને અભિવાદન સમારોહ લોક વિજ્ઞાાન કેન્દ્ર ગોધરાના પ્રમુખશ્રી ડોકટર સુજાત વલીની ઉપસ્થિતિમાં યોજાયો

gujaratjanekta

અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ, પોલીસ દ્વારા 9ની અટકાયત

gujaratjanekta

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારાઆદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના 74 મા જન્મદિન નિમિત્તે “યજ્ઞ અને યોગ” સાથે “દિવ્ય ઉજવણી” એમના દીર્ઘ આયુષ માટે ગાયત્રી યજ્ઞ નો આયોજન કરવામા આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial