Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શાળાના બાળકોને સંસ્કાર સાથે નું શિક્ષણ મળે તે ખુબજ જરુરી બાળકો દેશનુ ભવિષ્ય છે -સાંસદ જસંવતસિહ ભાભોર

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત સરકાર દ્વારા 23 જુન થી 26 જુન દરમિયાન કન્યા કેળવણી મહોત્સની રંગે ચંગે ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે ઉજવણી ના ભાગરુપે જીલ્લા ના વિવિધ તાલુકાઓની પ્રાથમિક શાળા માં અધિકારીઓથી લઇને પદાધિકારીઓની મુખ્ય યજમાન તરીકે મુકવામા આવ્યા છે.

આ મુખ્ય મહેમાનો ના હસ્તે પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક, પેન, દફતર આપી પ્રવેશ કરાવવામા આવી રહ્યો છે. જેના ભાગરુપે આજરોજ ફતેપુરા તાલુકા ની વાંગડ પ્રાથમિક શાળા, ગરાડુની કંજેલી પ્રાથમિક શાળા અને વાંસિયાકુઇની પ્રાથમિક શાળાના મા મોટી સંખ્યામા સાંસદ જસંવતસિહ ભાભોરે શાળાના નાના નાના ભુલકાઓને કુંમ કુંમ તિલક કરી ચોકલેટ આપી મો મીંઠુ કરાવી પેન-પાઠી, પુસ્તક અને દફતર આપી પ્રવેશ કરાવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવ દરમિયાન સાસંદ જસંવતસિહ ભાભોરે શાળાના બાળકો અને તેમના વાલીઓને સંબોધીને જણાવ્યુ હતુ આ નાના બાળકો નુ ધ્યાન પૂવઁક લાલન પાલન પોષણ થવુ જોઇએ. બાળકોને સંસ્કાર સાથે નુ શિક્ષણ મળે તે ખુબજ જરુરી છે આ ભુલકાઓ આવનાર સમય મા દેશનુ ઉજ્જવળ ભવિષય હોવાનુ જણાવી દરેક શિક્ષક પોતાની શાળા મા બાળકોને માતા પિતાની જેમ લાલન પાલન કરી પુરતુ શિક્ષણ આપી યોગ્ય દિશા અને માગઁદશઁન આપી નવ ભારતના નિમાણઁ માં સહભાગી બને તેવું જણાવ્યું હતુ. સાંસદશ્રીના ઉદ્વબોદધ્ધન ને વાલિઓ અને શાળાના બાળકોએ તાળીયોના ગણગણાટથી વધાવી લીધી હતી.

Share

Related posts

ઝાલોદ વિશ્વકર્મા મંદિરે રમેશ ઓઝાની ભાગવત કથાના આયોજન અર્થે પંચાલ સમાજ સાથે મીટીંગ યોજાઈ

gujaratjanekta

ઝાલોદ પોલિસ સિંઘમ ભૂમિકામા : પીકઅપ ગાડી સાથે 5,29,878 નો વિદેશી દારૂ ઝડપ્યો

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના ૧૨૫ – મોરવા હડફ મતવિસ્તારના ધારાસભ્ય નિમિષાબેન સુથારે જન્મદિવસ ઉપર કુલ ૧૨૩ શાળાઓમાં ૨૧૬૫૯ બાળકોને તિથિ ભોજન કરાવી કરી અનોખી ઉજવણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial