સંકેત પંડ્યા – એડિટર
જુનાગઢના સાસણ ગીર મુકામે સિંહ સદન ખાતે વનવિભાગના કર્મીઓ અને તેમના કુટુંબીજનોને તેમજ ટ્રેકર, ગાઇડ, ડ્રાઇવર મિત્રોને પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્માન કાર્ડ અને હેલ્થ આઇ.ડી.કાર્ડથી લાભાન્વિત કરવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
“ગીર સોમનાથના જન જન બન્યા આયુષ્માન”

અનેક કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રીમતી નિમિષાબેન એમ. સુથાર વર્ચ્યુઅલી કેમ્પના માધ્યમથી વનવિભાગ ના કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી તેમના પ્રશ્ર્નો સાંભળ્યા હતા.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વનવિભાગના કર્મીઓ અને તાલુકાના અગ્રણીઓ, કાર્યાલયના અંગત સચીવ શ્રી ચૈતન્ય નિમાવત, ડૉ. કૃષ્ણાસિંહ વાગડીયા, નિલેશભાઇ, જુંડાલભાઇ સહિત ફોરેસ્ટ વિભાગના DFO શ્રી મોહન રામ, સાસણ ગીરના જિલ્લા પંચાયતના સદસ્યશ્રી જોલીતભાઇ બુસા, તાલુકા સદસ્યશ્રી લક્ષ્મણભાઇ , સરપંચશ્રીની ઉપસ્થિતીમાં આયુષ્યમાન કાર્ડની જનહિતલક્ષી યોજના વિશે લાભાર્થીઓને માહિતગાર કર્યા હતા.

