વિશ્વ હિન્દુ પરિષદ માંડવી નગરની ટીમે લુહારચોક ખાતે નવરાત્રી ઉત્સવની ઉજવણી કરી
માંડવી લુહાર ચોક ખાતે આયોજિત નવરાત્રી ઉત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ માંડવી નગર ની ટીમ ઉપસ્થિત રહી હતી ભારત માતાની આરતી કરી માતાજી ની આરાધના કરાઈ હતી લુહાર ચોક ગરબી મંડળ દ્વારા VHP અગ્રણીઓ કાર્યકર્તાઓને આવકાર્યા હતા. લુહાર ચોક ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ 100 વર્ષથી પણ વધારે સમયથી આ સ્થળે ઉજવાય છે અને આ ગરબીની વિશેષતામાં આ ગરબી પાટલા ગરબી તરીકે ઓળખાય છે. પાટલા ગરબી માંડવીમાં માત્ર એક જ સ્થળે યોજાય છે.

લુહાર ચોક ગરબી મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં બહોળી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ મહિલાઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા..
આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ માંડવી અધ્યક્ષ અજય આસોડિયા, ઉપાધ્યક્ષ નીતિન જોશી, પશ્ચિમ કચ્છ જિલ્લા સહમંત્રી નિર્મલ આસોડિયા ,ગૌરક્ષા સંયોજક હરેશ બાવાજી, હેમાંગ કાનાણી ,પરેશ સેવક, ભવ્ય ઈસ્થા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

