પંકજ પંડિત
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાનાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હતી તે અન્વયે ઝાલોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ ઝાલોદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ અંગે કામગીરી હાથ ધરવામા આવેલ હતી.તા.૦૩/૦૯/૨૦૨૫ ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ દ્વારા પોલીસની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓ તેમજ અન્ય કામગીરી રાખવામા આવેલ હતી. જે દરમ્યાન ચોકકસ બાતમી આધારે ઝાલોદ પોલીસ સ્ટેશનના એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૧૦૩૦૨૫૦૫૨૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ-૧૩૭(૨),૮૭ મુજબના અપહરણના ગુન્હામા છેલ્લા ચાર માસથી નાસતો ફરતો આરોપી નિકુલભાઈ મણીલાલ જાતે.ભેદી રહે.જાફરપુરા તા.ઝાલોદ જી.દાહોદ નાને પકડી હસ્તગત કરવામા આવેલ તેમજ ઝાલોદ કોર્ટના બીન જામીનલાયક વોરંટના આરોપી કારુકભાઈ મોહમંદભાઈ ડાયા રહે.ઝાલોદ કોળીવાડા તા.ઝાલોદ જી.દાહોદ તથા સુનીલભાઈ કલસીંગભાઈ કામોળ રહે.ખરસાણા તા.ઝાલોદ જી.દાહોદ નાઓને પકડી હસ્તગત કરવામા આવેલ છે.આમ અપહરણના ગુન્હામા આરોપી તથા બીન જામીનપાત્ર વોરંટના બે આરોપીઓને શોધી કાઢવામા ઝાલોદ પોલીસને સફળતા મળેલ છે.પકડાયેલ આરોપી: નિકુલભાઈ મણીલાલ જાતે.ભેદી રહે.જાફરપુરા તા.ઝાલોદ જી.દાહોદવોરંટના આરોપી: (૧) ફારુકભાઈ મોહમંદભાઈ ડાયા રહે.ઝાલોદ કોળીવાડા તા.ઝાલોદ જી.દાહોદ.(૨) સુનીલભાઈ કલસીંગભાઈ કામોળ રહે.ખરસાણા તા.ઝાલોદ જી.દાહોદ.

