Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના રામસાગર તળાવની ચારે બાજુ ઉગી નીકળેલ ઝાડી ઝાંખરા પાલિકા તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા

પંકજ પંડિત

ઝાલોદ નગરજનો સ્વચ્છતા જાળવવા સહયોગ કરે : પ્રમુખ રેખાબેન વસૈયા ઝાલોદ નગરનના રામસાગર તળાવની ચારે બાજુ તેમજ તળાવની અંદર જંગલી ઝાડી ઝાંખરા ઉગી નીકળેલ હતા. પાલિકા તંત્રને આ અંગે નગરજનોએ રજૂઆત કરતા પાલિકા તંત્ર દ્વારા ચીફ ઓફિસર ટી.બી.ભાભોરના સાથે સંકલન જાળવી પાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા, ઉપપ્રમુખ ભાવનાબેન ડામોર તેમજ કારોબારી પ્રમુખ દિનેશ પંચાલ દ્વારા પાલિકા તંત્રના કાઉન્સિલરોને સાથે રાખી રામસાગર તળાવની સાફ સફાઈ કરવા માટે જેસીબી મશીન થી કામગીરી ચાલુ કરવામાં આવી હતી. હાલ રામસાગરની ચાલતી સફાઈ કામગીરીને લઈ નગરજનોમા ખુશી જોવા મળી રહેલ છે. તેમજ પાલિકા નગરમાં સાફ સફાઈની કામગીરીને પ્રાથમિકતા બનાવી આવી કામગીરી કરતા રહે.ઝાલોદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા નગરજનો પણ સફાઈ જળવાઈ રહે તે માટે જાતે જાગૃત બને અને જ્યાં ત્યાં ગંદકી ન કરે. પાલિકા ચીફ ઓફિસર ટી.બી.ભાભોરે પણ નગરજનો જ્યાં ત્યાં કચરો ન નાંખી સ્વચ્છ ઝાલોદના મીશનને સફળ બનાવે તેમ કહ્યું હતું. પાલિકા કારોબારી પ્રમુખ દિનેશ પંચાલે પણ નગરજનોને વિનંતી કરી હતી કે ગણેશ વિસર્જન નિમિતે આપણે આપણા તળાવને સ્વચ્છ બનાવવા ફૂલ માળા તેમજ પૂજાપાની સામગ્રી તળાવમા ન નાખે અને રામસાગર તળાવને સ્વચ્છ બનાવવા માટે પાલિકા તંત્રને સહયોગ કરે.

Share

Related posts

દાહોદ જિલ્લા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પ્રભાબેન તાવીયાડનુ નામ જાહેર થતા ગુરુ ગોવિંદના શરણમા આવી આશીર્વાદ લીધા

gujaratjanekta

ઝાલોદ તાલુકામાં ઉત્તરાયણના દિવસે બે અલગ અલગ અકસ્માત સર્જાયાછનામૃત્યુ

gujaratjanekta

આગામી તા. ૮ ઓગસ્ટે રાજ્યકક્ષાનો ‘૭૫મો વન મહોત્સવ’ યોજાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial