પંકજ પંડિત
ઝાલોદ નગરમાં ગૌ રક્ષા અને તેની સેવા માટે નગરના યુવાનો સદાય કાર્યરત રહે છે. આ યુવાનો દ્વારા અનેક વાર ઘાયલ અથવા બીમાર ગૌ માતાની સારવાર કર્યા બાદ ગૌ માતાને તેના માલિકને અને જો માલિક ન હોય તો ગૌ શાળામાં ગાય મોકલી તેની વધુ સારી રીતે સંભાળ થાય તે માટે ગૌ શાળા ગાય મોકલી મુકી આવતા હોય છે
આજ રોજ ગૌ સેવા કરનાર એવા ગૌ પ્રેમીયો પર મીઠાચોક ઝુલેલાલ મંદિર મંદિરના મહારાજ હિતેશભાઈનો ફોન કરી કહ્યું હતું કે મંદિર પાસે એક વાછરડી જેના પગમાંથી ખૂબ લોહી વહે છે તો તેના માટે કંઈ કરવું ત્યારે ઝાલોદ નગરના વિલ્પેશભાઈ પ્રજાપતિ, કિશનભાઇ દેવડા, મનીષભાઈ, દીક્ષિતભાઈ શર્મા, કુલદીપભાઈ રાઠોડ, બબલુભાઈ દરજી, ભાવેશભાઈ પ્રજાપતિ, વિનયભાઈ દરજી દ્વારા વાછરડીને ત્યાંથી લઈ અને નાસલાઈ ગૌશાળામાં મૂકવામાં આવી જ્યાં તેનો સારવાર ચાલુ કરવામાં આવેલ હતી.જન્માષ્ટમીના શુભ અવસર એ ગાય માતા નું કામ કરનાર આવા તમામ લોકોને નગરના લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.પ

