Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ

“માંડવી શહેર અને તાલુકા પ્રમુખ એ કાઠડાની સરકારે કાર્ગો માટે ફાળવેલી ગૌચર જમીન બાબતે સરકાર અને સત્તાધારી પક્ષ સામે વિવિધ આક્ષેપો કર્યા”

માંડવી:-

કરછના માંડવી કોંગ્રેસના નવનિયુક્ત શહેર પ્રમુખ અરવિંદસિંહ જાડેજા અને તાલુકા પ્રમુખ વલ્લભ વેલાણી એ કાઠડા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે રાજ્ય સરકારે કાર્ગો માટે ફાળવેલી ગૌચર જમીન બાબતે સરકાર અને સત્તાધારી પક્ષ સામે વિવિધ આક્ષેપો કર્યા હતા અને ઉગ્ર લડત આપવાની ખાતરી આપી હતી.

માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ જાડેજાએ આ મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રશ્ન કર્યો કે, જ્યારે માંડવી, શિરવા અને ભારાપરની હજારો ગાયો કાઠડાની ગૌચર જમીન પર નિર્ભર છે, ત્યારે આ જમીન રાજ્ય સરકારે કાર્ગોને ફાળવી દેતા ગાયોના નામે મત લેનારા નેતાઓ કેમ ચૂપ છે? તેમણે ઉગ્ર લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભ વેલાણીએ પણ જણાવ્યું હતું કે, કાઠડા ગામ અને માંડવી સીમાડા વિસ્તારની ૫૮૭ એકર ગૌચર જમીન એરસ્ટ્રીપના વિસ્તૃતીકરણ હેઠળ ફાળવવામાં આવી છે. તેમણે આ મુદ્દે રાજ્ય સરકાર સામે ઉગ્ર લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

પ્રમુખોએ કાઠડા ગામના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી.

Share

Related posts

ઝાલોદ તાલુકાના માંડલીખૂંટા પ્રાથમિક શાળામા કાદવ કીચડ વાળા રસ્તે અભ્યાસ કરવા આવતા બાળકો

gujaratjanekta

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ ઝાલોદ નગર ભાજપ પરિવારના લોકો દ્વારા ચંદ્રયાન-3 નું સફળ લેન્ડિંગ થતાં રાષ્ટ્રધ્વજ સાથે આતસબાજી કરી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી બાલ હનુમાનજી મંદિરે નગરના લોકો દ્વારા હનુમાનચાલીશાના પાઠ પણ કરવામાં આવ્યા હતા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ સાથે ભારતે સફળ સિદ્ધિ હાંસલ કરી હતી. સફળ લેન્ડિંગ લાઇવ નિહાળવાનો અનેરો અવસર થકી ઇતિહાસના સાક્ષી સહુ ભારતવાસી બન્યા હતા. જેમ જેમ ચંદ્રયાન-3 ના લેન્ડીંગનો સમય નજીક આવતો હતો તેમ તેમ સમગ્ર ભારતવાસીઓના ધબકારા વધતા જતા હતા. ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગને સમગ્ર ઝાલોદ નગરના લોકોએ પણ લાઇવ નિહાળ્યું હતું. જેવું ચંદ્રયાન-3 લેન્ડ થયું તેમ સહુ નગરના લોકો ટીવીની સામે નાચી ઝૂમી ઉઠયા હતા. આ સફળતા થી દરેક ભારતીયની છાતી ગર્વ થી ફૂલી ગઈ હતી. ચંદ્રયાન-3 ની સફળતા માટે નગરના લોકો દ્વારા બાલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવેલ હતા. ચંદ્રયાન-3 સફળ લેન્ડિંગ થતાંની સાથે ભાજપ પરિવારના સહુ સભ્યોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળતો હતો. ભાજપ પારિવાના સહુ સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લહેરાવી વડબજારમાં ભવ્ય આતસબાજી સાથે ભારતમાતાકી જય સાથે વાતાવરણને ગજવી દીધેલ હતું. ઉપસ્થિત સહુ લોકો દ્વારા આ ભવ્ય સફળતાની ઉજવણી એક બીજાને મીઠાઈ ખવડાવી કરેલ હતી. તેમજ ભાજપ પરિવાર દ્વારા ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને દેશને ગર્વ અપાવવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ખુશી નગરના દરેક સોશિયલ મીડિયાના ગ્રુપમાં ફરતી થઈ ગઈ હતી અને સમગ્ર નગરના લોકો સોશિયલ મીડિયા દ્વારા એક બીજાને તેમજ ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જોવા મળતા હતા

gujaratjanekta

અમદાવાદમાં ફાફડા-જલેબીના ભાવમાં 30 ટકા વધારો થયો, સવારથી લોકો લાઈનમાં ઉભા જોવા મળ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial