Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ અગ્રવાલ સમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિતે આશ્રમ શાળાની કન્યાઓને ભોજન પ્રસાદી આપી

પંકજ પંડિત

ઝાલોદ નગરનું અગ્રવાલ સમાજ દાન, ધર્મ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમા હંમેશ આગળ રહેતું હોય છે. નગરના દરેક ધાર્મિક કે નગરને પ્રેરણા આપતા કોઈ પણ કાર્યક્રમોમા ઉદાર હાથે પ્રવૃત્તિ કરી હંમેશ આગળ રહેતા હોય છે. કોઈ પણ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં મોખરે રહી નગરમાં સહકાર આપતા રહેલ છે. હાલ શ્રાવણ માસ ચાલી રહેલ છે ત્યારે ભોળાનાથ ભગવાનની સેવા પૂજા તેમજ નગરના ધાર્મિક કાર્યક્રમોમા સાથ સહકાર આપી નગરમાં દરેક ધાર્મિક કાર્યક્રમો સુંદર થાય તેવી ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા રહેતા હોય છે.કુંવારી કન્યાઓની પૂજા કરી તેમાં દેવી દેવતાના વાસ હોય તેવું દરેક સનાતન ધર્મ સાથે જોડાયેલ હિન્દુ સમુદાય માને છે. શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા શ્રી રામજાનકી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ( દેવજીની સરસવાણી) મુકામે જઈ ત્યાં અભ્યાસ કરતી કન્યાઓને ભોજન પ્રસાદી કરાવી કન્યા ભોજનનો લાભ લીધો હતો.

Share

Related posts

કેસરિયાજી દશામાં કૉલેજ ઑફ નર્સિંગ ખાતે ઝાલોદ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરાઈ

gujaratjanekta

પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગ નો શુભારંભ

gujaratjanekta

નવા વર્ષની ઉજવણી સેવાકીય કાર્ય દ્વારા કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial