Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના મુસ્લિમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં તાજીયાને તળાવમાં ઠંડા કરવામાં આવ્યા

ઝાલોદ નગરમાં યા હુસૈનના નાદ સાથે મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણીમુસ્લિમ બિરાદરોએ તાજીયા ને પવિત્રતા સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં તળાવમાં ઠંડા કરાયાઝાલોદ નગરમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ ના દોહિત્ર ઈમામ હુસૈન ની યાદ માં મોહરમ મોહરમ ની નવમી અને દસમી તારીખે શાંતિપ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.હઝરત ઈમામ હુસૈનની યાદમાં આયોજિત તાજીયા યાત્રા યા હુસૈન ના નાદ સાથે ઝાલોદ નગરના મુખ્ય માર્ગો પરથી કસ્બા વિસ્તારથી, મીઠોચોક, કોળીવાડા, ગીતામંદિર, લખારવાડી, લુહારવાડાથી પસાર થઈ હતી અને અંતે રામસાગર તળવામાં તાજીયાઓને ઠંડા કરવામાં આવ્યા હતા.મોહરમ પર્વ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા રોજા રાખવામાં આવ્યા હતા તથા પવિત્ર કુરાનની તિલાવત કરીને ઈમામ હુસૈનની શહાદતને યાદ કરવામાં આવી. ઈમામ હુસૈન એ સત્ય અને ન્યાય માટે પોતાનું બલિદાન આપ્યું ૫રંતુ જાલિર્મો સાથે કદી સંધિ કરી નહિ—એ ઉમદા સંદેશને લઈ સમગ્ર સમાજમાં એકતા અને શાંતિનો સંદેશ પ્રસરાયો હતો.મુસ્લિમ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગામજનો ઉપ સ્થિત રહ્યા હતા.શ્રદ્ધાળુઓની ભીડ તથા તાજીયા યાત્રાને ધ્યાનમાં રાખીને ઝાલોદ ડિવિઝનના ડી. વાય,એસ પી.ડી.આર. પટેલ , પી આઈ ગૌરવ ગામિત, પી.એસ.આઈ , રાઠોડ અને પી. એસ આઈ.રાજપૂત દ્વારા સ્થળ પર હાજર રહી અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફ દ્વારા ચાંપતી નજર સાથે શાંતિ જળવાઈ રહે એ માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મુસ્લિમ બિરાદરો દ્વારા પોલીસ તંત્રના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી અને ઝાલોદ પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.

Share

Related posts

આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર : હોસ્પિટલના ડોક્ટરનો લૂલો બચાવ – જાણો વધુ

gujaratjanekta

મોડાસાના મુલોજ ગામના લોકો ચોમાસામાં કોઈ સ્વજનનું મૃત્યુ ન થાય તેવી પ્રભુને કેમ કરે છે પ્રાર્થના…!!

gujaratjanekta

૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial