પંકજ પંડિત
ઝાલોદ 75 થી વધુ પક્ષીઓના કુંજનુ વિતરણ કરવામાં આવ્યુંહાલ નગરમાં કેશવ માધવ સખી મંડળ દ્વારા અવારનવાર સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે. હાલ નગરમાં આકરો ઉનાળો બેસેલ છે અને મૂંગા પક્ષીઓને પીવાનું પાણી નથી મળતું તેને લઈ ઉનાળાની કાળઝાળ ગરમીમા ગૌ રક્ષા દળ દાહોદના સહયોગથી કેશવ માધવ સખી મંડળ દ્વારા પક્ષીઓના પાણીના કુંજનુ વિતરણ વિવિધ વિસ્તારોમાં વિના મૂલ્યે કરવામાં આવ્યુ હતું. આ કુંજના વિતરણ સમયે અનોખો ઉત્સાહ સ્થાનિકોએ બતાવ્યો હતો. અંદાજીત 75 થી વધુ પક્ષીઓના પાણીના કુંજનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમા પ્રમુખ પિનલબેન પંચાલ,ઉપપ્રમુખ જીગ્નિશાબેન પંચાલ, સરોજબેન ભાટી,નિલમબેન પંચાલ દ્રારા ઘરે ઘરે જઈ પક્ષીઓના પાણીના કુંજનુ વિતરણ કરવામા આવેલ હતું.

