પંકજ પંડિત
ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે એક વૃદ્ધ વ્યક્તિ જે બોલવા અને સાંભળવામાં અસમર્થ છે તેમજ ત્રણ ચાર દિવસથી ત્યાં એકલા બેસી રહે છે તેની બાતમી પીએસઆઇ સી.કે સિસોદિયાને મળતા તેઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચી વૃધ્ધ વ્યક્તિ સાથે વાત કરી તેઓના સગા સંબંધીને સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી શોધવાની કોશિશ કરી હતી. ચોવીસ કલાક ઉપરાંત થવા છતાંય આ વૃદ્ધ વ્યક્તિના કોઈ સગા સંબંધી ન મળતાં ઝાલોદ પોલીસ સી.કે.સીસોદીયા દ્વારા આ વૃદ્ધ વ્યક્તિને સ્વચ્છ કરાવી દાઢી વાળ કપાવી તેઓને નવા કપડા પહેરાવી અને તેઓની મેડિકલ તપાસ કરાવી હતી. વૃદ્ધ વ્યક્તિની કોઈ સગા સંબંધી ન મળતાં ઝાલોદ પોલીસ દ્વારા તેઓને બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુદ્ધિ આશ્રમ ખાતે મોકલવામા આવેલ હતા. પોલિસ દ્વારા આ અસહાય વૃદ્ધ વ્યક્તિની તકેદારી રાખવામાં આવી તેને લઈ ઝાલોદ પી.એસ.આઈ સીસોદીયા દ્વારા કરવામાં આવેલ સરાહનીય કાર્યની ચોમેર પ્રસંશા થઈ રહેલ છે.

