પંકજ પંડિત
વસંતપંચમી નિમિત્તે ઝાલોદ નગરના રાધા કૃષ્ણ મંદિર ખાતે ભગવાનનુ પંચામૃત સ્નાન તેમજ અભિષેક કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દિવસભર રાધા કૃષ્ણ મંદિર ખાતે ભજન કિર્તન તેમજ ડબગર સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.ઝાલોદ નગરનો ડબગર સમાજ વસંતપંચમી ઉત્સવ પ્રતિવર્ષ યોજવામાં ધામધૂમથી પોતાના વ્યાપાર રોજગાર બંધ રાખી ઉજવતા આવેલ છે. ઝાલોદ નગરમાં ડબગર સમાજ દ્વારા સમાજની એકતા દર્શાવતા નગરમા ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નગરના ડબગર વાસ થી આ શોભાયાત્રા ધાર્મિક ભજન, રાશ ગરબાની રમઝટ સાથે યોજાઈ હતી.આ શોભાયાત્રા ડબગરવાસ થી નીકળી સ્વર્ણિમ સર્કલ, ગીતા મંદિર, શહીદ રાજેશ ચોક ,ભરત ટાવર, બસ સ્ટેશન, આંબેડકર ચોક થઈ ડલગરવાસ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. શોભાયાત્રાનું સ્વાગત વિવિધ માર્ગો પર દરેક વિસ્તારમાં ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતુંછેલ્લે રાધાકૃષ્ણન ભગવાનની આરતી પૂજા કરી અને આખા સમાજની મહા પ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા સમાજ ના દરેક લોકો એ ખૂબ આનંદ અને ઉત્સાહથી ભાગ લઇ આ ઉત્સવને સફળ બનાવ્યા હતો.

