રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગોધરા નગર નો પરિવાર મિલન -કુટુંબ પ્રબોધન પ્રોગ્રામ કલરવ સ્કૂલ ગોધરા ખાતે યોજાયો જેમાં સંધ ની અલગ અલગ ભગિની સંસ્થાઓના કાર્યકર્તાઓ જેવા કે પંચમહાલ જિલ્લા સંધચાલકજી મા. રાજેશભાઇ અંબાલાલ જોષી તથા ,દિનેશભાઈ સેવક .પ્રાંત કુટુંબ પ્રબોધન સદસ્ય રાકેશભાઇ પ્રજાપતિ ગોધરા નગર કાર્યવાહ પરીમલભાઈ પાઠક પ્રાંત કાર્યકારિણી સદસ્ય ધર્મેશભાઈ મહેતા પ્રાંત ધર્મજાગરણ સંયોજક દિનેશભાઇ ડોડિયા પંચમહાલ વિભાગ પ્રચારક ડાહ્યાભાઇ પ્રજાપતિ જિલ્લા કુટુંબ પ્રબોધન સંયોજક હિમાંશુભાઇ ડગલી નગર કુટુંબ પ્રબોધન સંયોજક વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં કાર્યકર્તા ના મુખ્ય પ્રવક્તા શ્રી દિનેશભાઈ સેવક દ્વારા કુટુંબ પ્રબોધન વિશે માહિતી આપી અને ગોધરા નગરમાથી કુલ સ્વયં સેવક બંધુઓ 125 તથા બાળ સ્વયંસેવકો 50 અને માતૃશક્તિ ભગિની 100 ની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા . જેમાં કાર્યક્રમની શરૂઆતમાં અલગ અલગ રમતો કરાવવામાં આવી પછી આદરણીય શ્રી વક્તા દિનેશભાઈ સેવકનું પાંથેય મળ્યું ને છેલ્લે સૌ અલ્પાહાર કરી છૂટા પડ્યા .તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિમાંશુભાઈ ડગલી દ્વારા કરવામાં આવ્યું હતું

