મળતી માહિતી પ્રમાણે સુરતમાં બે સંચાલકોએ સિંગાપોરના વર્ક વિઝાની લાલચ આપીને 4 લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સ્કાય-વે ઈન્ટરનેશનલ નામની સંસ્થાના 2 સંચાલકોએ છેતરપિંડી કરી હતી.
સુરતના યોગીચોકમાં આવેલી સ્કાય-વે ઈન્ટરનેશનલના સંચાલકો દ્વારા આ કરતૂત કરવામાં આવી હતી. જેમાં 4 લોકો પાસેથી 15 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. વર્ક વીઝાના નામે મહિલા ઉપરાંત 3 વ્યક્તિઓ સાથે ઠગાઈ કરવામાં આવી હતી.સંચાલક વિરલ લિંબાણી અને ઋત્વિક રાબડીયા નામના ઠગબાજ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે ફરિયાદના આધારે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

