Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રણામી સંપ્રદાય વારસોલાથી પન્ના ચાલતા સંઘનું દાહોદમાં અભિવાદન

શ્રીકૃષ્ણ પ્રણામી મંદિર વરસોલા થી પરમધામ પન્ના ચાલતો જતો સંઘ દાહોદ આવી પહોંચ્યો હતો શ્રી રાજ શ્યામાજી ટ્રસ્ટ દાહોદના પ્રમુખ શ્રીમતિ ચંદ્રકાંતાબેન ગોપાલભાઈ ધાનકા તેમજ દાહોદ ના સુંદર સાથ દ્વારા આ સંઘ નું દાહોદ ચામુંડા માતાજીના મંદિરે ગોધરા રોડ મુકામે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુંદરસાથ શ્રી કાળીદાસભાઈ એમ. પરમાર દ્વારા ભજન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના પ્રમુખશ્રી તેમજ અન્ય સુંદરસાથ દ્વારા શ્રી રાજજી મહારાજની આરતી કરવામાં આવી હતી તે પછી ચાલતા સંઘમાં જોડાયેલ લગભગ 130 સસુંદરસાથે ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી અને લગભગ બે વાગયે સંઘ ચાલતો કતવારા તરફ રવાના થયો હતો આ પ્રસંગે શ્રી ગોપાલભાઈ પી. ધાનકા, કાલિદાસભાઈ પરમાર , નંદકિશોરભાઈ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ શ્રીમતી મણીબેન ધાનકા અને ખજાનચી નવીનભાઈ પરમાર તેમજ ટ્રસ્ટના મંત્રી ચેતન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ચોમાસા દરમિયાન ગુજરાત તેમજ દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ અભયારણ્ય ની મુલાકાત લેતા હોય છે

gujaratjanekta

ફતેપુરાની વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા શારીરિક ઇજા કરાતાં શિક્ષકને તાત્કાલિક છૂટો કરાયો

gujaratjanekta

ગુજરાત કરછના આ ગામડામાં મનની શાંતિ માટે ફોરેનર્સના ધામા: અબજોપતિઓ કરે છે સાધના, સેવકે કહ્યું-અહીં ઘણાની જિંદગી બદલાઈ ગઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial