Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા દ્વારા નગરની પ્રાથમિક સમસ્ય નિવારણ માટે 14420 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો

પંકજ પંડિત

નગરપાલિકા દ્વારા નોંધાયેલ ફરિયાદ 24 થી 48 કલાકમાં દૂર કરવા પ્રયાણ કરાશે ઝાલોદ નગરમાં નાની નાની સમસ્યાઓ ઘણી બધી હોય છે તેમાં ઘણી સમસ્યાઓ વહીવટી તંત્રને કદાચ ધ્યાને ન આવી હોય તે માટે નગરના હિતમાં તેમજ 24 થી 48 કલાકમાં તેના નિવારણ માટે નગરપાલિકા દ્વારા ટોલ ફ્રી નંબર 1800-599-9659 નંબર ઉપર થી 14420 નંબર ડાયલ કરવું અથવા 02670225269 પર ડાયલ કરી સમસ્યા નોંધાવવાની રહેશે જેથી જે તે સમસ્યાના સમાધાન તેમજ ઉકેલ માટે નગરપાલિકા ત્વરિત પગલાં લઈ શકે. પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ નંબર સોશિયલ મીડિયામા જાહેર કરાતા સમસ્યા લખાવવા માટે જાહેર જનતા કોલ કરવા લાગી હતી તેથી કોલ ન લાગવાની ફરિયાદો પણ લોકોમાં ઉઠવા પામી હતી. હાલ તો નગરજનો ઈચ્છી રહેલ છે પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ નંબર કાયમ ચાલુ રહે જેથી નગરજનો પોતાની સમસ્યાઓ નોંધાવી સમાધાન મેળવી શકે.

Share

Related posts

મુખ્યમંત્રીના હસ્તે શ્રમ સન્માન પોર્ટલનું કરવામાં આવ્યું લોકાર્પણ, 22 ભોજન કેન્દ્રોનો સમાવેશ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના વગેલા ગામના ખેતર માંથી ગાંજાનો 2,09,400 નો મુદ્દામાલ ઝડપી પાડતી એસ.ઓ.જી દાહોદ એક વ્યક્તિની અટકાયત કરાઈ

gujaratjanekta

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ની પ્રથમ કારોબારી સભા અને ઉત્તર ગુજરાત બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન સમારંભ ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ શ્રી શૈલેષ ઠાકરના અધ્યક્ષપણા હેઠળ અંબાજી ખાતે યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial