આજરોજ આપણા દેશ માટે સમર્પિત એવા ઉદ્યોગપતિ અને ટાટા કંપનીના માલિક શ્રી રતનજી ટાટા જેઓ એક એવા વ્યક્તિ છે કે પોતાની આવકના ૬૦% હિસ્સો દાનમાં આપીને દેશસેવાના કાર્યમાં કાર્યરત રહેતા. એવા ટાટા કંપનીના માલિક શ્રી રતનજી ટાટાનું ૮૬ વર્ષની વયે નિધન થયેલ છે. પુરા દેશમાં શોકની લાગણી વ્યાપી ગયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે શોક સંદેશ અને બે મિનિટનું મૌન પાળીને અમન ડે સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ તમામ સ્ટાફ દ્રારા પાઠવવામાં આવ્યો હતો.

