Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને કરી ભયંકર આગાહી : જાણો વધુ

પ્રાપ્ત માહિતી પ્રમાણે

ગુજરાતના ખેડુતો ચોમાસુ ક્યારે બેસે તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બીજી બાજુ અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ સિવાય બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. જો બંગાળની ખાડી અથવા તો અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની સીધીજ અસર ગુજરાતના હવામાન પર અસર થતી હોય છે.

અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે અરબ સાગરમાં 3 જુનથી લઈને તારીખ 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થાય તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. અને બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ તારીખ 7 જુનથી લઈને તારીખ 10 જૂનની આસપાસ વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતાઓ રહેલી છે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે અરબી સમુદ્રમાં વાવઝોડું સક્રિય થશે અને બંગાળના ઉપસાગરમાં પણ વાવઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંને વાવાઝોડા એક સાથે ચાલી શકે નહીં, પરંતુ વિશિષ્ટ સ્થિતિ જોવા મળી શકે છે.

અરબી સમુદ્રમાં 3થી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થશે અને બંગાળની ખાડીમાં 7થી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થશે. વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. આવું ક્યારે બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે.

તેઓના જણાવ્યા અનુસાર વાવાઝોડું એ મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. હવા માં સર્જાયેલા દબાણના લીધે બે વાવાઝોડા સક્રિય થઇ રહ્યા છે. આ વાવાઝોડાના લીધે તારીખ 7 જુનથી લઈને 11 જૂનના સમય ગાળા વચ્ચે વરસાદ પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તારીખ 8 જુનથી લઈને 10 જૂનમાં ભારે થી અતિ ભારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

Share

Related posts

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોટી ખજૂરી ખાતે સિકલ સેલ તથા એચ.બી. ટેસ્ટિંગ કેમ્પ યોજાયો

gujaratjanekta

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની રૂપરેખાની સમીક્ષા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બ્રિફિંગ મિટિંગ યોજાઈ

gujaratjanekta

મહીસાગર જીલ્લાની કલેક્ટર કચેરીના પ્રાંગણમાં બન્યું અનેરું વન કવચ : સા.વ. લુણાવાડાના RFO જે.ટી મકવાણાની ઉત્કૃષ્ટ કામગીરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial