Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news ગુજરાત ન્યૂઝ

મહિલાઓ અને છોકરીઓ પર થતી હિંસાને અટકાવવા માટે “જિલ્લા સ્તરીય પરામર્શ” કાર્યક્રમ યોજાયો

મહિલાઓ અને છોકરીઓ પર થતી હિંસાને અટકાવવા માટે “જિલ્લા સ્તરીય પરામર્શ” કાર્યક્રમ યોજાયો

 વનિતા મહિલા શક્તિ સંગઠન અને ઉત્થાન દ્વારા ધાનપુર ખાતે મહિલાઓ સામે હિંસાને અનુસંધાને સરકારી અને બિન સરકારી માળખાઓ સાથે એક “જિલ્લા સ્તરીય પરામર્શ”નું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ સાથે થતી હિંસાનાં બાબતે રજૂઆત, ન્યાયસમિતિએ અનુભવેલી અડચણ, ભલામણો અને અસરોની રજૂઆત તેમજ માળખાઓ સાથે કાર્ય કરવામાં મુંઝવણ, અવરોધો બાબતે વિગતે ચર્ચા કરાઇ હતી.
કાર્યક્રમમાં ઉપસ્થીત દાહોદ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી પટેલે મહિલાઓ સાથે થતી હિંસા વિરૂદ્ધ વિવિધ કાયદાઓ વિષે વાત કરી. ખાસ કરીને કામના સ્થળે મહિલાઓ સાથે હિંસા વીરૂદ્ધ કાયદાકીય જોગવાઈ અંગે જણાવ્યું. તેમજ પ્રવર્તમાન સમાજ વ્યવસ્થા અંગે પોતાની વાત રજુ કરી. આ ઉપરાંત દાહોદ બાલ સુરક્ષા અધિકારી કુરેશીએ દાહોદ વિસ્તારમાં થતાં બાળ લગ્નો અંગે ચિંતા વ્યક્ત કરી તેમજ જણાવ્યું કે આ બાળલગ્નો રોકવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. તેમજ મહિલા શક્તિ સંગઠન અને ઉત્થાન જેવી સેવાભાવી સંસ્થાઓને આ કામગીરીમાં સહયોગ માટે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ધાનપુર પોલીસ સ્ટેશન એએસઆઇ શ્રી પ્રકાશભાઈ વસાવા, જિલ્લા ન્યાય સમિતિ સદસ્ય મંજુબેન નિનામા, સખી વન સ્ટોપ સેન્ટર, દાહોદ, ઉત્થાન લીમખેડાના સદસ્યઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Share

Related posts

આદિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળા છાલોરના શિક્ષક નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો છાલોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેરસિંગભાઈ પારગીને અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

ઝાલોદ પંચાલ સમાજની બહેનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોક્ષધામ ખાતે કીર્તન કરાયું

gujaratjanekta

શ્રદ્ધેય રાળીયા મહારાજ નાં પાવન સાનિધ્યમાં શિવમંદિર, દાહોદ તાલુકાના બાવકા થી રામેશ્વરમ મહાદેવ,નઢેલાવ સુધી ચૈત્રી પૂનમ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial