જુનાગઢ શહેરમાં દેશી ઓસડિયા વેચવાનો ધંધો કરતા વેપારીઓ પર વન વિભાગ એક કાર્યવાહી હાથ ધરી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે જગમાલ ચોકમાં વેપાર ધંધો કરતા અમુક વેપારીઓની દુકાનમાં વન વિભાગ એ તપાસ કરતાં દરિયાઈ જીવ સૃષ્ટિની પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો મુદ્દા માલ મળી આવ્યો છે વન વિભાગ દ્વારા હાલ વેપારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે આ અંગે સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેપારીઓએ પરિક્રમા અને શિવરાત્રીના મેળામાં અનેક ચીજ વસ્તુઓ વેચવા આવતા ફેરિયાઓ અને પાથરણા વાળા પાસેથી આ પ્રતિબંધિત વસ્તુઓ લીધી હતી અને પ્રતિબંધિત છે કે કેમ તેની તેઓને જાણ ન હોવાનું પણ સામે આવી રહ્યું છે વન વિભાગ દ્વારા જગમાલ ચોકના વેપારીઓ સામે ગુનો દાખલ કરી તેની વધુ તપાસ કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે હજુ પણ આ દરિયાઈ જીવસૃષ્ટિના કેસમાં અનેક લોકોના નામ ખુલે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે વન વિભાગ દ્વારા મળેલી બાતમીના આધારે દેશી ઓસડિયા વેચતા વેપારીઓને ત્યાંથી પ્રતિબંધિત વસ્તુઓ લીધી હતી હાલ વન વિભાગ દ્વારા વેપારીઓની પૂજ પર જ શરૂ કરવામાં આવી છે

