સંકેત પંડ્યા – એડિટર
ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલોલના ભાજપના પાયાના કાર્યકર ડો.ચંદ્રકાન્ત પંડ્યાને મળ્યા હતા અને જૂની યાદો તાજી કરી હતી. ૧૯૭૨ થી ડો. ચંદ્રકાંત પંડ્યા સંઘ અને જનસંઘ સાથે જોડાયેલા હતા. જેથી તત્કાલિન સમયે સંઘ પ્રચારક નરેન્દ્ર મોદી સાથે તેમના પરિવારનો ખુબ જુનો નાતો હોવાનું જણાય છે. વર્ષો પહેલાના જુના સંબંધોની યાદ તાજી કરીને વડાપ્રધાને ડૉ ચંદ્રકાંત પંડ્યા અને તેમના પત્ની મિનાક્ષીબેન પંડ્યા સાથે ૧૦ મિનીટ સુધી વાતો કરી અને પરિવારજનોના ખબર અંતર પૂછ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ.ચંદ્રકાંત પંડયાના સન્માનમાં શબ્દોનો પ્રયોગ કરતા કહ્યું હતું કે ચાલો આવો બધા – મારા ચંદ્રકાંત જોડે ફોટો પડાવો. આ મારો જૂનો કાર્યકર્તા છે ચંદ્રકાંત. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાતચીત કરીને મૈત્રીપૂર્ણ વ્યવહાર વ્યક્ત કર્યો હતો.

