Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આણંદ જિલ્લામાં આચાર સંહીતા ભંગની 90 ફરીયાદો મળી, બીજા તબક્કામાં છે મતદાન

 સંકેત પંડ્યા – એડિટર

10 દિવસમાં આચારસંહિતા ભંગની 90 ફરિયાદો મળી છે. આ વખતે ચૂંટણી પંચ દ્વારા લોકો તેમના મોબાઈલ થકી આસાનીથી ફરીયાદ કરી શકે માટે સી-વીજીલ એપ વિકસાવવામાં આવી છે. જે માધ્યમ થકી આ ફરીયાદો મળી રહી છે. તંત્ર દ્વારા તમામ ફરિયાદોનું નિરાકરણ લાવવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાંની કેટલીક ફરીયાદોનું નિરાકરણ કરાયું પણ છે. 

આણંદ જિલ્લાની સાત વિધાનસભા મતવિસ્તારના મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચને C-VIGIL નામની એપ્લિકેશન થકી 90 નાગરિકોએ આચારસંહિતા અંગે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે. જેમાં આ સિવાયની રાજકીય પક્ષોને લગતી ફરીયાદો પણ છે. 

ખાસ કરીને 10 દિવસમાં આચારસંહિતા ભંગની કુલ 90 ફરિયાદો મળી હતી તેમાં પરવાનગી વગર બેનરો લગાવવાની ફરિયાદનો પણ સમાવેશ થાય છે. તંત્રએ દાવો કર્યો હતો કે તમામ ફરિયાદોનો સત્વરે નિકાલ કરવામાં આવ્યો છે.

આણંદ જિલ્લામાં મતદારો માટે મતદાન સરળ બને તે માટે ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે હેલ્પલાઇન ટેલિફોન નંબર, વેબસાઇટ સહિતની એપ્લિકેશન તૈયાર કરી છે. આ તમામમાંથી મતદાર યાદીમાં કયા ભાગમાં, કયા ક્રમમાં તેમનું નામ નોંધાયેલ છે તેની માહિતી મતદારોને સરળતાથી મળી રહે તે માટે રાજ્ય કક્ષાએ આણંદ કલેક્ટર કચેરી ખાતે C-VIGIL નામની એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જેથી બન્ને પ્રકારનો ઉપયોગ કરી શકાય છે.

Share

Related posts

ઝાલોદ નગરમાં બાબા શ્યામના જન્મોત્સવ નિમિતે બાબા શ્યામના જય જયકાર સાથે શ્યામ હવેલી ગુંજી ઉઠી

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા રાત્રીના સમયમાં ડ્રોન દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરતા અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી

gujaratjanekta

પ્રાથમિક આરોગ્ય પરીક્ષણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું..

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial