Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી ના પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સિહોરના પ્રવાસે

 સંકેત પંડ્યા – એડિટર
ચૂંટણીના પડઘમો વાગી ચુક્યા છે રાજકીય પાર્ટીઓએ. જોરશોરથી તેયારી આરંભી છે, પ્રચાર, પ્રસાર, સભા રોડ શો સાથે રાષ્ટ્રીય નેતાઓ ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ ખેડી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી ના પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સિહોરના પ્રવાસે આવી રહ્યા છે તા27 ના રોજ ખોડિયાર મંદિર ખાતે દર્શન કરી સિહોર પધારશે સમગ્ર કાર્યક્રમને લઈ આગોતરા આયોજન સાથે આજે સિહોર રેસ્ટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી ના પ્રદેશ માલધારી સેલ ના પ્રમુખ અશોકભાઈ રબારી, ભાવનગર લોકસભા સીટ ના ઉપપ્રમુખ નીફુલસિંહ ઝાલા, જિલ્લા માલધારી સેલ ના ભરતભાઈ રબારી , જનકસિંહ ભંડારીયા,યુવરાજસિંહ નવાગામ હરદેવસિંહ ખોખરા,ખુમાનસિંહ ગોહિલ વિધાનસભા ના જોઇન્ટ સેક્રેટરી,આ0ામ આદમી પાર્ટીના સિહોર શહેર ના પ્રમુખજીતુભાઈ ઉપાધ્યાય , હાર્દિક દોમડીયા વિધાનસભા ૧૦૩ સીટ ના સંગઠન મંત્રી, વિપુલ ચૌહાણ,કાનજીભાઈ મારું,સહિત સિહોર શહેર ગ્રામ્યના આમ આદમી પાર્ટીના હોદેદારો, મહાનુભાવો કાર્યકરો સહીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકસભા સીટ ના ઉપપ્રમુખ નિકુલસિંહ ઝાલા એ જણાવેલ કે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી ના પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા તા.ર૭/૧૦ ના રોજ સવારે૧૦ કલાકે રાજપરા ખોડિયાર મંદિર ખાતે દર્શન કરી માતાજી ના આશીર્વાદ મેળવી અને ખોડીયાર મંદિર થી લઈ સિહોર સુધી પદયાત્રા એનીકળશે ઠેર ઠેર તેઓ નું સ્વાગત કાર્યક્રમ તેમજ સિહોર વડલાચોક ખાતે ખોડીયાર માતાજી ના દર્શન કરી શહેર વિસ્તાર માં જનસવાંદ કાર્યકમ સાથો સાથ રાખવામાં આવેલ છે.અને ૧૦૩વિધાનસભા સીટ ચૂંટણી ના શ્રીગણેશ સાથે સાથે દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા વિવિધ યોજનાજે વીજળી ફ્રી,આરોગ્ય દવા ફરી, વગેરે ચૂંટણી ઢંઢેરો માં અનેક મતદારો ને રીજવવા પ્રયાસ કરવામાં આવેલ છે
Share

Related posts

ઝાલોદ નગરના માઇ ભક્તોનું પગપાળા સંઘ અંબાજી યાત્રાએ જવા નીકળ્યું

gujaratjanekta

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૧૯ના રોજ આ વિયર યોજનાનું કરશે ખાતમુહૂર્ત

gujaratjanekta

પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial