સંકેત પંડ્યા – એડિટર
દિવાળીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દિવાળીના આ તહેવારોમાં ફટાકડાનું એક બાજું મોટું વેચાણ થઈ રહ્યું છે. લોકો દિવાળીમાં વધુ ફાટકડા ફોડતા હોય છે ત્યારે દિવાળી સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદમાં દિવાળી નિમિત્તે પોલીસ કમિશને બહાર પાડ્યું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદના પોલીસ કમિશનરે દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવા માટે જાહેરનામાની અંદર ઉલ્લેખ કર્યા મુજબ, શહેરમાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ખાસ કરીને આ સમયમાં જ ફટાકડા ફોડવા માટે સૂચન કરાયું છે. ફટાકડા ફોડવા માટે 125 ડેસિબલથી 145 ડેસિબલના ફટાકડા ફોડવા કહેવામાં આવ્યું છે. ફટાકડા લૂમ હોવાથી ઘન કચરો અને પ્રદૂષણ ફેલાય છે માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ ઉપરાંત બજારોમાં, શેરીઓની અંદર તેમજ ગલીઓમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસ કમિશનરની જાહેરાત મુજબ ફટાકડાની ઓનલાઈન ખરીદી કે વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અત્યારે દિવાળીના તહેવારોમાં જોર સોરથી ખરીદી થઈ રહી છે છેલ્લા બે વર્ષમાં કોરોના હોવાથી આ ઉત્સવને જવો જોઈએ તેવો મનાવવાનો મોકો નથી મ્યો પરંતુ આ જાહેરનામું પણ દિવાળીમાં બહાર પડાયું છે.

