ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામના ત્રણ વ્યક્તિઓ — એક યુવક, એક મહિલા અને એક યુવતી — હિંડોળિયા ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે સુખસર તાલુકાના રૂપાખેડા ગામ પાસે ફતેપુરા તરફ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતને જોઈ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા તાત્કાલિક પોતાનો કાફલો થોભાવી માનવતા દર્શાવી હતી. તેમણે તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ને જાણ કરી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી. એટલું જ નહીં, ઇજાગ્રસ્તોના પરિવારજનોને પણ આ અંગે જાણ કરી એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે પોતાની ફરજ નિભાવી.મંત્રીશ્રીની આ તત્પરતા, સંવેદનશીલતા અને સેવાભાવ ખરેખર પ્રશંસનીય છે. આવી માનવતાભરી કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે.

