ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા વિધાનસભાના સુખસર ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તા સંમેલન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય અને કૃષિ મંત્રી રમેશભાઈ કટારા સાંસદ જશવંતસિંહ ભાભોર મહામંત્રી હિતુભાઈ ચૌહાણ ગુજરાત ભાજપા મંત્રી શંકરભાઈ અમલીયાર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.ફતેપુરા વિધાનસભાના સુખસર ખાતે ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને ભવ્ય કાર્યકર્તા સંમેલન નો કાર્યક્રમ ગુરૂવારના રોજ યોજાયો હતો જેમાં વિધાનસભા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરીયા એ સ્વાગત પ્રવચન કર્યું હતું ત્યારબાદ સાંસદ જશવંતસિંહ ભાભોરે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું ધારાસભ્યની કૃષિ મંત્રી રમેશભાઈ કટારાએ ભાજપની સરકારમાં થયેલા વિકાસ કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે અને સરકારનો લાભ મળી રહ્યો છે. તેમજ પીએમ કિસાન યોજના અંતર્ગત અને વરસાદમાં થયેલા નુકસાન અંતર્ગત સરકાર દ્વારામાં આપવામાં આવેલ નાણા સીધેસીધા ખાતામાં જમા થયા હતા તે બાબતની વાતો રજૂ કરી હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે.
મારી જમણી બાજુ શક્તિ કેન્દ્ર ને સહયોજક તો ડાબી બાજુ માં બુથ પ્રમુખ બેઠા છે એ ખાલી અને ખાલી ભાજપ માં જ શક્ય છે. 20 વષૅ પહેલા લોકો પાણી માટે વલખાં મારવાં પડતાં હતા પરંતું અત્યારે બધા તળાવો ભરેલા જોવા મળે છે…
કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યુ કે કોંગ્રેસ વાળા બાટલા બતાવીને દેખાવો કરે છે તેમને પૂછો કે એમના રાજ માં માતાઓ ચૂલાઓ પર ધુમાડા માં રસોઈ બનાવતા હતા .. રસોઇ માટે બાટલા ભાજપ સરકારે જ આપ્યા તો પછી કોંગ્રેસ વાળા ને બાટલા બતાવવાનો હક જ નથી..
આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર ના સંયોજક હિતેશ કલાલ અને બુધપ્રમુખ આશિત પંચાલ દ્વારા પણ ચોપડાઓ આપીને પ્રદેશ અધ્યક્ષ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યકર્તા સંમેલનમાં હજારો સંખ્યા માં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

