Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાજ્યકક્ષાનામંત્રીરમેશભાઈ ભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ફતેપુરા ખાતે પ્રાકૃતિક કૃષિ મેળો-વ-પાક પરિસવાદકાર્યક્રમ યોજાયો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જીલ્લાના ખેડુતોને પ્રાકૃતિક ખેતી અને અધતન કૃષિ ટેકનોલોજી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ખેડુત તાલીમ કેન્દ્ર દ્વારા “પ્રાકૃતિક કૃષિ મેળો-વ-પાક પરિસવાદ” કાર્યક્રમનું રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ ભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, આત્મા વિભાગ, બાગાયત વિભાગ, કૃષી યુનિવર્સિટી આણંદ સહિતના વિભાગો દ્વારા સ્ટોલ લગાવી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને વિવિધ સહાયના ચેક, સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છેવાડાના માનવીઓ સુધી તમામ પહોંચાડી દરેક નાગરિકોનો સર્વાગી વિકાસ કરવા માટે કામ કરી રહી છે. ગામડાઓમાં પણ દરેક લોકોને પાયાની સુવિધાઓ મળી રહે અને ખેડૂતો આત્મનિર્ભર બને. એ માટે સરકાર દ્વારા અમલમાં મૂકેલ યોજનાઓ આપ સૌ જરૂરિયાત મુજબ સહાય મેળવો જ્યાં પણ કોઈ મૂંઝવણ થાય વહીવટી તંત્ર સાથે સંકલન કરી આપ યોજનાનો લઈ આર્થિક રીતે મજબૂત બનો.
એ સાથે જ કહ્યું કે, ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતશ્રીએ દાહોદ જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને દાહોદ જિલ્લો પ્રાકૃતિક ખેતીમાં આગળ આવે તેવા આશ્રયથી વધુ પ્રાધાન્ય આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવામાં મદદરૂપ સહાય આપવામાં આવી રહી છે જેથી આપ સૌ પ્રાકૃતિક ખેતી કરો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઈ આમલિયારે કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારત @૨૦૪૭નું સ્વપ્ન છે. એટલે દેશમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવી, પશુપાલન કરી ડેરી ઉદ્યોગો કરી આત્મનિર્ભર બનવું અને આર્થિક રીતે સદ્ધર બનવું સાથે ફિટ ઇન્ડિયા, અને સ્વસ્થ અને તંદુરસ્ત યુવાઓ માટે પ્રાકૃતિક ખેતી કરવા માટે દેશના તમામ ખેડૂનોને આહ્વાન કર્યું છે. ત્યારે આપણો દાહોદ જિલ્લો ક્યાંક પાછળ નહીં રહી જાય હાલ દાહોદ જિલ્લામાં ૧૯ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. હું દાહોદ જિલ્લાના તમામ ખેડૂતોને કહું છું કે, તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે કેમકે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન નિર્વાહ કરવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પી આર દવે, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી પટેલ, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ગોસાઈ, મામલતદારશ્રી ફતેપુરા, સંબંધિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ, પદાધિકારીઓ, જિલ્લા પંચાયત અને અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ, આગેવાનો, વડીલો, સરપંચશ્રીઓ, અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ફતેપુરા મુકામે કાનૂની જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા દ્વારા કોમર્સ કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયું

gujaratjanekta

કારકિર્દી માર્ગદર્શન વેબિનાર – શ્રીમતી આર.એમ. દેવડા માધ્યમિક શાળા લીમડી*ખાતે યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial