Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા માં શહીદ દિન નિમિત્તે મામલતદાર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

ફતેપુરા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦મી જાન્યુઆરી,૨૦૨૬ને શુક્રવારના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથે ફતેપુરા મામલતદાર કચેરી ખાતે સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ફતેપુરા મામલતદાર કચેરી ના પટાંગણમાં ફતેપુરા મામલતદાર શ્રી વાઘેલા ની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર શ્રી ચૌધરી તેમજ જાતીય ભેદભાવ અત્યાચાર નિવારણ સમિતિ રેફરલ હોસ્પિટલ ફતેપુરા ના સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલા તેમજ વહિવટી તંત્ર ના-કર્મચારીઓએ શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

Share

Related posts

આશરે ૨૦ વર્ષ પછી દાહોદ જિલ્લામાં કેસરીયો માહોલ છવાઈ જવા પામ્યો છે.

Admin

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ ૧ તેમજ સેન્ટ સ્ટીફન સ્કૂલ દાહોદ દ્વારા આયોજિત ,ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

Admin

ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial