Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીલવાઠાકોર ગામે મધ્યરાત્રિએ આગથી ઘરખાખ ડામોર તેરસીંગભાઈ મતાભાઈના મકાનમાં આકસ્મિક આગ, ઘરવખરી–અનાજ બળીને નષ્ટ જાનહાનિ નહીં, સરકારી સહાયની માંગ સાથે તાલુકા પંચાયતમાં અરજી

પંકજ પંડિત

ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના લીલવાઠાકોર ગામે ડામોર ભગત ફળિયામાં રહેતા ડામોર તેરસીંગભાઈ મતાભાઈના મકાનમાં રાત્રીના સમયે અચાનક આકસ્મિક આગ લાગવાની ઘટના બની હતી. આગની લપેટો જોઈ મકાનમાં રહેલા પરિવારજનો તાત્કાલિક ઘરની બહાર દોડી આવી પોતાની જાન બચાવવામાં સફળ રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ગામના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ ઝાલોદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચતા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે આગ બુઝાવવામાં આવે ત્યાં સુધીમાં મકાનમાં રાખેલ અનાજ, કપડાં તેમજ ઘરવખરી સહિતનો તમામ સામાન આગમાં બળી ખાખ થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં કોઈ વ્યક્તિ કે પશુધનની જાનહાનિ થયેલ નથી. જોકે આકસ્મિક આગના કારણે મકાન માલિકને ભારે આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે.
આજરોજ ગામના સરપંચ, તલાટી તેમજ ગ્રામજનો દ્વારા ઘટનાની લેખિત નોંધ તૈયાર કરી તાલુકા પંચાયત અધિકારીને અરજી પાઠવવામાં આવી હતી. અરજીમાં કુદરતી તથા આકસ્મિક આપત્તિ અંતર્ગત સરકારના નિયમો મુજબ મકાન તથા ઘરવખરીના થયેલ નુકશાન બદલ તાત્કાલિક સહાય મંજૂર કરવા વિનંતી કરવામાં આવી છે.
અગ્નિકાંડથી અસરગ્રસ્ત પરિવારને રાજ્ય સરકારની આપત્તિ રાહત સહાય યોજના અંતર્ગત વહેલી તકે નાણાકીય મદદ મળશે તેવી સ્થાનિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share

Related posts

દાહોદના ગરબાડા તાલુકાના સાહડા ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ અંતર્ગત સફાઇ કરાઇ

gujaratjanekta

ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને ગરમીમાં રાહત આપવા છાશ વિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૭થી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની કરાશે ઉજવણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial