ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજરોજ ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા આયોજિત તારીખ 20 ડિસેમ્બર થી 6 જાન્યુઆરી ફાગવેલ થી કંબોઈ ધામ ( દાહોદ ) સુધીની જન આક્રોશ યાત્રા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાન આગેવાની હેઠળ આવી પહોંચતા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સ્વાગત કરી પડતી મુશ્કેલીઓને રજૂઆત કરી હતી પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ ફતેપુરા નગરમાં લોકોને ખાડા અને ગંદા પાણીને વેઠવી પડતી મુશ્કેલીઓને વિધાનસભામાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી

