ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં મુસ્લિમ સમાજને નવનિર્માણ થયેલ મસ્જીદે આયશા ના ઉદ્ઘાટન પ્રસંગે પંજાબના શાહી ઈમામ હજરત મૌલાના મોહમ્મદ ઉસ્માન રહેમાની લુદયાનવી સાહબ પધારેલ હતા આ વિસ્તારના ભાજપના આગેવાન કાર્યકર્તા અને ફતેપુરા પંચાલ સમાજના પ્રમુખ પંકજભાઈ પંચાલના આમંત્રણ ને માન આપી તેઓના ઘરે પધાર્યા હતા જેથી પંકજભાઈ પંચાલ અને તેમના કુટુંબીજનોએ શાળ ઓઢાડી ગિફ્ટ આપી પંજાબના શાહી ઈમામનું સ્વાગત કરેલ હતું જેથી નગરમાં અને સમસ્ત જગ્યા ઉપર ભાઈચારા જોવા મળતો હતો

