,ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
.ફતેપુરા ખાતે મસિ્જદે આયેશાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પંજાબના શાહી ઈમામ હઝરત મૌલાના મુહમ્મદ ઉસ્માન રહમાની લુધિયાનવી સાહેબના વરદ હસ્તે આ મસિ્જદનું ઉદ્ઘાટન સંપન્ન થયું. પંજાબના શાહી ઇમામ ખુલ્લી કારમાં ઉદ્ઘાટન પ્રસંગમાં ભાગ લેવા માટે આવતા રસ્તામાં ઠેર ઠેર દરેક સમાજ દ્વારા પુષ્પગુજથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફતેપુરા સહિત આજુબાજુ ગામોના હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત થયા હતા ફતેપુરા મુસ્લિમ સમાજ દ્વારા સર્વ સમાજના લોકોનું સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં ફતેપુરાના હિન્દુ સમાજ, આદિવાસી સમાજ અને દાઉદી વ્હોરા સમાજના આગેવાનો પણ ઉપસિ્થત રહ્યા હતા.

