Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

15 વર્ષથી નીચેના બાળકોને મોબાઈલ નહીં વાપરવા ધર્મગુરુનો આદેશ દાઉદી વ્હોરા સમાજના દરેક બાળકોને માતા પિતાએ ફરમાન ને વધાવી લીધા

 

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ઉજ્જૈનના મુફદૃલ પાર્કમાં 15 વર્ષથી નાના બાળકો મોબાઈલ નો ઉપયોગ નહીં કરવો શપથ લીધા હતા
દાઉદી વ્હોરા સમાજના નાના બાળકો જેની ઉંમર 15 વર્ષથી ઓછી છે તેવા બાળકોને મોબાઈલ ફોન વાપરવા નહીં તે માટે ધર્મગુરુ સૈયદના મુફદૃલ સૈફુદ્દીન સાહેબના આદેશ તથા દાઉદી વોરા સમાજના 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ અને તેના વાલીઓએ આ આદેશને વધાવી લીધો છે અને ઠેર ઠેર પ્રોગ્રામો કરી બાળકો મોબાઇલ સિવાય ખેલકૂદ ચિત્રકામ અભ્યાસ વગેરે કાર્યોમાં જોડાઈ તે માટે ભેગા મળીને એકબીજાને સહકાર આપી રહ્યા છે આ જ રીતે ઉજ્જૈનના મુફદૃલ પાર્કમાં 15 વર્ષથી ઓછી ઉમરના બાળકો અને તેના માતા-પિતા તેમજ વાલીઓ ભૈગા મળીને ખેલકૂદ તેમજ ચિત્રકામ વગેરેનો પ્રવૃતિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં મફદૃલ પાર્કમાં રહેતા તમામ ૧૫ વર્ષ થીયુ ઓછી ઉંમરના બાળકોએ અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મોબાઈલ નહીં ચલાવવા માટેના શપથ લીધા હતા તેમ જ ચા નાસ્તાનું તેમજ કેક કાપી પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ હતો

Share

Related posts

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર : સાત તબક્કામાં મતદાનની સાથે 4 જુને પરિણામ થશે જાહેર

gujaratjanekta

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નગર પાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત

gujaratjanekta

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ભવ્ય અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial