પંકજ પંડિત
ઝાલોદ પોલિસ સ્ટેશનની વિઝિટ પણ કરવામાં આવી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની દાહોદ જિલ્લામાં નિયુક્તિ થયા બાદ પ્રથમવખતઝાલોદડી.વાય.એસ.પી કચેરી અને ઝાલોદ પોલિસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવી હતી. આજરોજ 03-09-2025 બુધવારના રોજ સાંજે 5 વાગે ઝાલોદ પોલિસ ડીવીઝનમા આવતા ઝાલોદ, લીમડી, સંજેલી, ફતેપુરા, ચાકલીયામા ઉજવાતા ગણેશ ઉત્સવ તેમજ ઈદે મીલાદ માટે શાંતિ સમિતિની એક મીટિંગ યોજી હતી. આજની મીટીંગમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજવિરસિંહ જાડેજા એ ગણેશ ઉત્સવનો મહિમા અને તેની જે પરંપરા છે તેને જાળવી રાખી ઉત્સવ મનાવવા હાકલ કરી હતી. નગરમાં દરેક સમાજના આગેવાનો પરસ્પર સમાનતા અને મૈત્રી ભાવ જાળવી સામાજિક એકતાનુ પ્રદર્શન કરે તેવું સૂચન કર્યું હતું.
નગરમાં આવનાર ઈદેમીલાદ અને ગણેશ વિસર્જનમા કોઈ પણ અસામાજિક તત્વો તંગદિલી ઉભી ન કરે તેમજ કોઈ પણ માદક દ્રવ્યોનુ સેવન કરી શોભાયાત્રામાં ન જોડાય. વરસાદને લઈ પણ ધ્યાન દોરતા કહ્યું હતું કે તળાવોમાં પાણી વધુ હોવાથી કોઈએ પણ તળાવ નજીક જવું નહીં તેમજ નગરપાલિકા દ્વારા જે નિયુક્ત કરેલા તરવૈયા હોય તેઓ દ્વારા જ ગણેશજીનુ વિસર્જન કરવામાં આવે તેવી પણ ટકોર કરી હતી. દાહોદ જિલ્લા પોલીસ આવનાર ઉત્સવોમા પ્રજા સાથે ઊભી છે તેમજ કોઈ પણ તકલીફ કે વ્યવસાયમા કોઈ તકલીફ લાગતી હોય તો તાત્કાલિક ઝાલોદ પોલીસનો સંપર્ક કરવા કહ્યું હતું.

