તા. 19/8/2025ના રોજ શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ઝાલોદમાં સંસ્થાનાં આચાર્ય શ્રી ડૉ એ. આર. મોદીસાહેબની પ્રેરણાથી શ્રી કૃષ્ણ ભક્તિ તથા દેશ ભકિત ગીતની એકલ તથા સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડૉ. અનીતાબેન પાદરીયાએ કર્યું હતું જ્યારે ભારતીબેન મોદી, મિત્તલબેન ભુરીયા તથા ડૉ. વાય. પી. ઝાલા એ નિર્ણાયક તરીકે ભૂમિકા અદા કરેલ હતી.

