આજ રોજ ધાર્મિક કાર્યોમાં સદાય અગ્રેસર રહેનારા, પ્રખર રાષ્ટ્રવાદી, પરમ ગૌ ભક્ત અને સનાતન વર્લ્ડ પરિવાર નાં નગર ઉપાધ્યક્ષ સુરેશભાઈ રોઝિયા જી ના જન્મ દિવસ ની ઉજવણી દાહોદ ખાતે અંધશાળાના બાળકો ને કેળા અને બિસ્કિટ નું વિતરણ વિશિષ્ટ સેવા કરી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર ના અધ્યક્ષ શ્રી મહાદેવ દામોદર દ્વારા સૌને અપીલ કરવામાં આવી કે, પોતાના કે પરિવારના સભ્યોના જન્મદિવસ નિમિત્તે કેક કાપવો નહીં. ગૌ સેવા અને અન્ય સેવાકીય કાર્ય કરી જન્મદિવસની ઉજવણી કરવા આહવાન કરવામાં આવ્યું.

