પંકજ પંડિત
ઝાલોદ સોમનાથ મહાદેવ ઉત્સવ સમિતિ દ્વારા શ્રાવણ માસમા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે થી તારીખ 06-08-2025 બુધવારના રોજ સાંજની આરતી કરી મોટા પ્રમાણમાં કાવડ યાત્રીઓ વાહન દ્વારા દાહોદ કેદારનાથ ( ચોસાલા) મુકામે પ્રસ્થાન કરનાર છે. રાત્રિ દરમ્યાન ભાવિક ભક્તો દ્વારા ભજનની રમઝટ કરવામાં આવનાર છે. વહેલી સવારે 07-08-2025 ના રોજ કેદારનાથ થી કાવડમા પવિત્ર જળ ભરી ઝાલોદ સોમનાથ મુકામે કાવડ યાત્રીઓ આવનાર છે.નગરમા કાવડ યાત્રીઓ સહુ વિશ્વકર્મા મંદિરે એકત્રિત થઈ ઢોલ નગારા તેમજ ડી.જે સાથે કાવડ યાત્રીઓની શોભાયાત્રા નગરમાં નીકળનાર છે. સોમનાથ મહાદેવ મંદિરે સહુ કાવડ યાત્રીઓ કાવડમા લાવેલ પવિત્ર જળ થી ભગવાન ભોળાનાથનો અભિષેક કરનાર છે. નગરમાં નીકળનાર ભવ્ય કાવડ યાત્રા માટે નગરના યુવાઓ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહેલ છે. તેમજ નગરના કાવડ યાત્રા માટે નામ લખાવવા માટે ભાવિક ભક્તો નામ લખાવી કાવડ યાત્રાની તૈયારીમાં લાગી ગયેલ છે.

