પંકજ પંડિત
ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા દાહોદ જિલ્લાના ઝાલોદ, ફતેપુરા, સંજેલી, સીંગવડ, લીમખેડા, દેવગઢ બારિયા, ધાનપુર, ગરબાડા અને દાહોદ તાલુકામાં આવતી સહકારી સંસ્થાઓમા ખાતરનો જથ્થો ખરીફ સિઝનમાં પૂરતો મળી રહે તે માટે લેખિત રજૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલ છે.
દાહોદ જિલ્લામા ખરીફ સિઝનમાં અંદાજીત એક લાખ થી વધુ ખેડૂતો મકાઈ, સોયાબીન, ડાંગર, અડદ, તુવર તેમજ અન્ય પાકનું વાવેતર અંદાજીત 216 હેક્ટરમા કરતા હોય છે. આ વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે નબળા તેમજ શૈક્ષણિક રીતે અતિ પછાત છે તેઓ મોટે ભાગે વતન બહાર મજૂરી અર્થે જતા હોય છે અને તેથી તેઓ એડવાન્સમા ખાતર ખરીદી શકતા નથી તેથી અહીંના ખેડૂતો વરસાદ પડે ત્યારબાદ જ ખાતર ખરીદવાનો આગ્રહ રાખે છે. વાવણી સમયે અચાનક માંગ વધતા ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમા ખાતર મળતું નથી જેથી સહકારી સંસ્થામાં ખાતરની અવ્યવસ્થા ન સર્જાય તે માટે વાવણીના સમયે ખેડૂતો ને પૂરતા પ્રમાણમાં સમયસર ખાતર મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક લેખિત રજૂઆત ઝાલોદ 130 ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા કરવામાં આવેલ છે.

