કિશોર સોલંકી
પહેલગામમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા 27 નિર્દોષ હિન્દુઓની નિર્મમ હત્યાના વિરોધમાં લીમખેડાના બે પ્રખર રાષ્ટ્રવાદી યુવાનો, પ્રિતેશ શાહ અને રીંકેશ પ્રજાપતિએ આકરો આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે પોતાની દુકાન સામે પાકિસ્તાનનો ઝંડો ઓટલા પર લગાવી, “પાકિસ્તાન મુર્દાબાદ”ના નારા લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો. આ ઘટના દ્વારા તેમણે આતંકવાદ અને પાકિસ્તાન સમર્થિત ગતિવિધિઓ સામે પોતાનો સખત વિરોધ દર્શાવ્યો.
આ યુવાનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી કે, આવનારા સમયમાં પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દેવા માટે કડક પગલાં લેવામાં આવે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં પણ આતંકવાદ સામે રોષ અને હિન્દુઓમાં એકતાની ભાવના જગાડી છે.

